અમદાવાદના ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. અહીં નાના મોટા દબાણો તોડવામાં આવ્યા છે. તંત્રએ ત્યાં રહેતા લોકોને મકાનો ખાલી કરવાની નોટીસો આપતા સોમવારે મોડી રાત સુધી લોકોએ મકાનો ખાલી કર્યા હતાં. મોડી રાતથી જ દબાણો હટાવવા માટે જેસીબી સહિતના મશીનો પહોંચી ગયા હતાં.


2.50 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે

આજે ચંડોળમાં અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ દ્વારા ફરીવાર મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. ચંડોળા ડિમોલિશન ફેઝ-2ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. 25 SRP કંપની પણ બંદોબસ્તમાં જોડાશે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલિશનની ફેઝ-2ની કામગીરીમાં કુલ 2.50 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે.

ચંડોળામાં આજે વહેલી સવારથી છોટા તળાવ વિસ્તારમાં દબાણો તોડાયા

તંત્ર દ્વારા ચંડોળમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે જાહેરાત કરાઈ હતી.આ ઉપરાંત જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન EWS આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. ચંડોળામાં આજે વહેલી સવારથી છોટા તળાવ વિસ્તારમાં દબાણો તોડાયા હતાં. આ ઉપરાંત લલ્લા બિહારીના ફાર્મ હાઉસની બાજુના દબાણો પણ તોડી પડાયા હતાં. પોલીસે અહીં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું.


  • Follow us on: