અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી સાકળચંદ મુખીની ચાલીમાં ગત મોડી રાતે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતક નિતિન પઢીયારનું ચાલીમાં રહેલા બે આરોપી કિરણ ચૌહાણ અને ગીરીશ સરગરાએ તેની હત્યા કરી હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી મૃતક નિતિનના આરોપી કિરણની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી અને તે જ કારણે કિરણ અને નિતિન વચ્ચે તકરાર થતી હતી. તે જ કારણે ગઈકાલે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
આડા સંબંધની શંકાથી અગાઉ પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી













