અમદાવાદના અસલાલીમાં સ્થિત જેતલપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કરંટ લાગતા બે લોકોના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે લોખંડની સીડી ઊભી કરવા જતા આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. બંને લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે બંને લોકોને મૃત જાહેર કર્યા હતાં.
લોખંડની સીડી ઉભી કરવા જતા લાગ્યો કરંટ













