અમરેલીના જખરીયા ગામના યુવકની નમકીન લેવા બાબતે મારામારી થઈ હતી. જેનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી મારામારીમાં યુવકનું મોત થતા પરિવારજનોએ ન્યાયની માંગણી કરી હતી.જેથી અનુસૂચિત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. જેથી પોલીસે અનુસૂચિત જાતિના યુવકની હત્યાના કેસમાં 10 લોકોને ઝડપી લીધા હતા.


પોલીસે આરોપીઓને ઝડપ્યા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરેલીના જરખીયા ગામના દલિત યુવકને 16 મેના રોજ નમકીન લેવા જતા દુકાને કેટલાક ઈસમો સાથે મારામારી થઈ હતી. જેથી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના લીધે તેને તાત્કાલિક રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થતા અમરેલી અનુસૂચિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે આરોપીઓને સજા અપાવવાની માંગણી કરાઈ હતી. જેથી હત્યાના કેસમાં પોલીસે 10 વધુ આરોપીને ઝડપ્યા હતા.આરોપીઓના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી.

યુવકની અંતિમવિધી કરાઈ

પ્રાપ્ત માહિતી મુજબ દુકાનદારના પુત્રને 'બેટા' કહેતા યુવક સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ જાતિવિષયક અપશબ્દો બોલીને યુવક સાથે મારામારી કરવામાં આવી હતી. જેમાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન યુવક નિલેશ રાઠોડનું મોત થયું હતું.જેથી અનુસૂચિત સમાજના લોકોએ ન્યાયની માંગણી કરી હતી. તેમજ આત્મવિલોપન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે યુવકની ગઈકાલે અંતિમ વિધી કરી દેવામાં આવી હતી. જોકે, તમામ આરોપીઓને ઝડપી લઈને પોલીસે વધુની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: