આજે લોકો પેટ્રોલથી ચાલતા વાહનો સામે ઈ-બાઈકનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેમાં પેટ્રોલ પૂરાવવાની ઝંઝટ રહેતી નથી. ઈ-બાઈકની બેટરીને એક વાર ચાર્જ કરવાથી તે સારી માઈલેજ પણ આપતી હોય છે. પરંતુ ક્યારેક બાઈકની બેટરી ઓવરહિટ થવાથી બ્લાસ્ટ થવાની ઘટનાઓ પણ બને છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં ઈ-બાઈક સળગ્યુ હતું. મોટો બ્લાસ્ટ થતા ઘરના લોકો ભયમાં મૂકાઈ ગયા હતા.
સાવરકુંડલામાં ઈ-બાઈક સળગ્યું













