• દાંડિયાબજાર ચોકીમાં બજાવતો હતો ફરજ

  • અશોક આહીર નામના પોલીસકર્મીનો આપઘાત
  • આત્મહત્યા કરવાનું કારણ હજુ અકબંધ

ભરૂચમાં પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ કર્મચારીએ આપઘાત કર્યાના સમાચાર મળ્યા બાદ આજુબાજુમાં ભારે ચકચાર મચી ગઈ છે. અશોકભાઈ કાનાભાઈ આહિર નામના જમાદારે આત્મહત્યા કરીને મોતને વ્હાલુ કર્યુ છે.

પોલીસ ક્વાર્ટસમાં જ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

આત્મહત્યા કરનાર અશોકભાઈ આહિર ભરૂચના દાંડિયાબજાર ચોકીમાં જમાદાર તરીકે ફરજ બજાવતા હતા અને પોલીસ ક્વાર્ટસમાં જ ગળે ફાંસો ખાઈને જમાદારે આત્મહત્યા કરી લીધી છે, જો કે હજુ સુધી અશોકભાઈ આહિરે આત્મહત્યા કેમ કરી તેનું કારણ અકબંધ છે.

થોડા દિવસ પત્ની અને પુત્રની હત્યા થઈ હતી

ભરૂચમાં થોડા દિવસ પહેલા જ આડાસંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 10 વર્ષના બાળકની ગળુ દબાવી હત્યા કરી હતી અને પોતે ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી હતી. ભરૂચ રેલવે કોલોનીમાં જ આ ઘટના બની હતી. આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો, જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટસમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.

  • Follow us on: