ગુજરાતમાં ચોરો બંધ ઘરમાં ચોરી કરીને ફરાર થઈ જાય છે. ચોરો હવે લોકોને તો ઠીક પણ હવે ભગવાનને પણ નથી છોડતા ત્યારે મંદિરોમાં રાત્રિના સમયે ચોરો આવીને ભગવાનના આભૂષણો અને દાનપેટીમાં ચોરી કરતા હોય છે. તેવી ઘણી ઘટનાઓ બને છે. ત્યારે આવો જ એક બનાવ ભાવનગરના પાલીતાણામાં સામે આવી હતી. જેમાં એક અજાણી મહિલા મંદિરમાંથી દાનપેટીમાંથી રોકડની ઉઠાંતરી કરીને નાસી ગઈ હતી. જેની સામે પોલીસે ફરિયાદ નોંધી છે.


મંદિરમાં થઈ ચોરી

મળતી માહિતી મુજબ ભાવનગરના પાલીતાણામાં મંદિરમાંથી 19 તારીખે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પાલીતાણામાં એક મંદિરમાં રોકડની ચોરી કરીને એક મહિલા નાસી ગઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પાલીતાણા શહેરમાં દાણાપીઠ વિસ્તારમાં શીતળામાતા મંદિરમાં ચોરી થઈ હતી.જ્યાં એક અજાણી મહિલા ચૂપચાપ મંદિરમાં દાખલ થાય છે. ત્યાં કોઈ છે તો નહી તે જોઈને તે દાનપેટીમાંથી રોકડા પૈસાની ચોરી કરે છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

પોલીસે તપાસ શરુ કરી

જ્યારે મંદિરમાં થયેલી ચોરીની જાણ ભક્તો અને પૂજારીને થતા તેમણે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં સમગ્ર ઘટના બહાર આવી હતી. જેમાં એક મહિલા ચોરી કરી રહી હોવાનું સામે આવે છે. તે ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા.જે આધારે અજાણી મહિલા વિરુદ્ધ મંદિરમાં ચોરી અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજને તપાસીને અજાણી મહિલા વિરુદ્ધ વધુની તપાસ હાથ ધરી છે.

  • Follow us on: