ગુજરાતમાં ટોલનાકા ઉપર ટોલકર્મીઓની દાદાગીરી અને મારામારીની ઘણી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. જેમાં ટોલ કર્મીઓ દ્વારા કારચાલકો કે વાહનચાલકોને માર માર્યો હોવાનું સામે આવે છે. ત્યારે ભાવનગરના કોબડી ટોલનાકા પર વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો હતો. એક કાર ચાલક સાથે ટોલનાકાના 12 જેટલા કર્મચારીઓએ બબાલ કરી હતી. તેમજ તેના પર હુમલો કરીને તેને માર માર્યો હતો. જે મામલે ટોલકર્મીઓ સામે કાર ચાલકે ફરિયાદ નોંધાવી હતી.
કારચાલક પર ટોલકર્મીઓનો હુમલો













