પતિ અને પત્ની વચ્ચે ઘણીવાર ઘરકંકાસ ખૂબ જ મોટું સ્વરુપ ધારણ કરી લેતું હોય છે. જેમાં ક્યારેક પતિ તેની પત્નીની હત્યા કરી નાખ્યાનું સામે આવે છે. ઘર કંકાસના લીધે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. જેમાં પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતે ઝઘડા ઘણીવાર મોટું સ્વરુપ ધારણ કરી લેતી હોય છે. ત્યારે ભાવનગરના પાલીતાણામાં એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે મામલે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલા દિશાબેનનું મોત થયું હતું.


પાલીતાણામાં પતિએ પત્નીની હત્યા કરી

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલીતાણામાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી દીધી હતી. પાલીતાણાનાં શક્તિનગરમાં એક દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. બંનેના ઘરકંકાસે મોટું સ્વરુપ ધારણ કરી લીધું હતું. પતિ અને પત્ની વચ્ચેના કંકાસમાં પતિએ પત્ની પર તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દીધો હતો. તિક્ષ્ણ હથિયારના પ્રહારથી પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેના લીધે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પતિએ પત્નીની હત્યા કરી હોવાની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

ટાઉન પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી

આરોપી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાની જાણ પાલીતાણા ટાઉન પોલીસને થઈ હતી. ઘટનાની જાણ થતા પાલીતાણા ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ટાઉન પોલીસે પત્નીના મૃતદેહને કબ્જે કર્યો હતો.મૃતદેહને કબ્જે કર્યા બાદ પીએમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો.ટાઉન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. તેમજ હત્યામાં ઉપયોગ લીધેલા હથિયારને પણ કબજે કર્યું હતું. તો વડોદરામાં એક પતિએ ઘરકંકાસમં આવેશમાં આવીને તેની પત્નીના માથામાં લોખંડની કોશ મારીને હત્યા કરી નાખી હતી.


  • Follow us on: