ભાવનગરમાં થોડા દિવસ પહેલા પાણીના પ્રશ્ને ધારાસભ્ય અને મેયરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. કુંભારવાડાની ગિરનાર સોસાયટીમાં વિકાસના કામોના ખાતમૂહુર્ત પ્રસંગે મેયર અને ધારાસભ્યનો લોકોએ ઘેરાવ કર્યો હતો. પાણીની ફરિયાદના પગલે કી મેનની બદલી કરવામાં આવી છે. પાણી વિતરણ માટે કી-મેન રૂપિયા લેતા હોવાનો પણ લોકો એ મેયર અને ધારાસભ્યને આક્ષેપ કર્યો હતો. કી મેન દેવાભાઈ ચાવડાની બદલી કરી અધેવાડા ખાતે મૂકી દેવામાં આવ્યા હતાં.
લોકોએ પાણી અને ડ્રેનેજ અંગેની ફરિયાદો કરી હતી













