• અમદાવાદમાં રમાશે વર્લ્ડકપની મેચ

  • 5 મેચને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ
  • અમદાવાદ CPએ જાહેરનામું બહાર પાડ્યું

આ વખતનો વનડે વર્લ્ડ કપ ભારતમાં યોજાનાર છે. જેને લઈને બીસીસીઆઈ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. એવામાં અમદાવાદમાં પણ 5 મેચ રમાનાર હોઈ અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વખતે વિશ્વકપની 5 મેચોનું આયોજન થશે, જેને લઈને અમદાવાદ તંત્ર અને પોલીસ સાબદી બની છે, સ્ટેડિયમને થ્રી લેયર સુરક્ષા અને વાહન પાર્કિંગને લઈને પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આવી સ્થિતિમાં અમદાવાદમાં ઘણાં યાત્રીઓ પણ આવનાર હોઈ ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ મામલે અમદાવાદના સીટી પોલીસ કમિશનર જી એસ મલિકે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વાહનોની અવરજવર માટે જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો માર્ગ પરિવહન માટે બંધ કરી દેવાયો છે.

આ માર્ગની અવેજમાં અન્ય વૈકલ્પિક માર્ગની ડાયવર્ઝન તરીકે વિગત આપવામાં આવી છે. જેમાં એક તપોવન સર્કલથી ઓએનજીસી ક્રોસ રોડથી વિસત ટી અને ત્યાંથી જનપથ ટીથી થઈ પાવર હાઉસ ચાર રસ્તાપ પથી પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગ પર પરિવહન ચાલુ રહેશે.

અથવા કૃપા રેસિડેન્સી ટી થી થઈને શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડથી એપોલો સર્કલ તરફની અવર જવરને પણ ચાલુ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ જાહેરનામું 5 ઓક્ટોબર, 14 ઓક્ટોબર, 4 નવેમ્બર, 10 નવેમ્બર અને 19 નવેમ્બરના રોજ લાગુ પડશે અને સવારના 11 કલાકેથી રાત્રિના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.

મહત્વનું છે કે મેચોને લઈને મેટ્રોના સમયમાં પણ વધારો કરાયો છે. મેચના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો સેવા ચાલુ રહેશે, મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશન રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ સુવિધા જ ચાલુ રહેશે.

  • Follow us on: