- ગત રાત્રે રાતે દોઢ વાગે પહેલો બ્લાસ્ટ થયો હતો
- ગત રાત્રે 3 વાગ્યે થયો હતો બીજો પ્રચંડ બ્લાસ્ટ
- બ્લાસ્ટમાં 27 દાઝ્યા, 3ની હાલત અત્યંત ગંભીર
સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝમાં અકસ્માતની ઘટનામાં 7 લોકોના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ છે. કંપનીના 20થી વધુ કામદાર હજુ સારવાર હેઠળ છે. ઘટના બાદ પ્લાન્ટ કાટમાળમાં ફેરવાયો છે. જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી પ્લાન્ટ બંધ કરાવી દીધો છે. ત્યારે સુરત GPCBના પ્રાદેશિક અધિકારી ડો. જિજ્ઞાસા ઓઝાએ જણાવ્યું હતું કે, આમાં કંપનીની ભૂલ નથી પણ અકસ્માત છે.
કેમિકલ કંપનીમાં બનેલી ઘટના અંગે GPCB ના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, એથર ઈન્ડસ્ટ્રીઝમાં આગનું કારણ જાણી શકાયું નથી. કંપનીમાં જે પણ જાનહાનિ અને માલહાનિ થઈ છે એ અંતર્ગત અત્યારે સ્થળ પર ગઈકાલથી અમારી તપાસ ચાલે છે. આજે વહેલી સવારથી તપાસ ચાલુ કરી છે. આ દરમિયાન 7 લોકોના માનવ કંકાલ છે એ મળી આવ્યાં છે.














