- અમદાવાદ જિલ્લામાં પાક નુકસાનીની કામગીરી
- કમોસમી માવઠાના હિસાબે વળતર ચૂકવાશે
- આવતી કાલથી 15 ટીમો દ્વારા સરવે હાથ ધરાશે
અમદાવાદ જિલ્લામાં કમોસમી વરસાદના લીધે વ્યાપક નુકસાન થયું હોવાની જાણકારી સામે આવી છે. અહીં એક માહિતી પ્રમાણે 1 લાખ હેક્ટરમાં ડાંગર, દિવેલા અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. જો કે આ ખેતીને મોટા પાયે નુકસાન થયું હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. પાક નુકસાની વળતરને લઈને આ મામલે આવતીકાલથી સરવેની કામગીરી શરૂ થવાનું અનુમાન છે.
કમોસમી વરસાદની બહુ જ વ્યાપક અસર અમદાવાદ જિલ્લા સહિતના ગ્રામ્ય પંથકમાં જોવા મળી હતી. અહીં 1 લાખ હેક્ટર ભૂમિમાં ડાંગર, દિવેલા અને કપાસનું વાવેતર થયું હોવાની જાણકારી સામે આવી છે. જેમાં દિવેલા અને કપાસને થોડું ઓછું નુકસાન થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જો કે ડાંગરના પાકને મોટા પાયે નુકસાનની જાણકારી સામે આવી છે. આ મામલે સરકારને ખેડૂતો દ્વારા પાક નુકસાનીના વળતરની સહાય ચૂકવવાની માગણી કરવામાં આવી હતી. જેના પગલે 15 ટીમો બનાવીને આ સરવે હાથ ધરાશે એવી જાણકારી પણ સામે આવી છે.













