હાલ ગુજરાતમાં ધીમે ધીમે આગની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં અને રહેણાંકી વિસ્તારોમાં આગના બનાવો બને છે.ભયાનક આગ ફાટી નીકળતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળે છે. જે આગમાં લાખોનો માલ સળગીને રાખ થઈ જાય છે. તો ક્યાંક રહેણાંકી વિસ્તારોમાં આગ ફાટી નીકળવાથી લોકોની ઘરવખરી પણ ખાક થઈ જાય છે. આગની ભીષણ ઘટનામાં જાનમાલને પણ મોટું નુકસાન થતું હોય છે. વડોદરામાં આવેલા નંદેસરી જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી. જેમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.


કંપનીમાં ભીષણ આગ લાગી

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં આવેલ નંદેસરી જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો હતો.નંદેસરી જીઆઈડીસીમાં આવેલી પી.એ.બી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.જેના લીધે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.જે આગ લાગતા 2 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટા ગોટા દેખાતા હતા. લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.આસપાસના લોકો પણ આગને જોવા માટે એકઠા થઈ ગયા હતા. આગ લાગતા જ કંપનીના તમામ કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળી ગયા હતા.

આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ

પી.એ.બી ઓર્ગેનિક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગતા કર્મચારીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ઘટનાની જાણ તથા નંદેસરી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.ઘટના સ્થળે પહોંચીને ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ધડાકાભેર લાગેલી આગને પગલે આસપાસની કંપનીઓમાં પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. જોકે, કોઈ જાનહાનિ થઈ નહોતી. તેમજ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.

  • Follow us on: