• મૃતક સ્મિત ચૌહાણના મિત્રની પણ હત્યા
  • વિરમગામ કેનાલ પાસેથી સળગેલો મૃતદેહ મળ્યો
  • બંને મિત્રોની હત્યાના કારણ અકબંધ

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગત રોજ એક યુવકની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેમાં ફાયરિંગ વિથ મર્ડર મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. આ દરમિયાન મૃતક સ્મિત ચૌહાણના મિત્ર રવિ લુહારની પણ હત્યા થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. વિરમગામ કેનાલ પાસે સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેમાં રવિ લુહારની પણ ગોળી મારી, છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

હવે રિવરફ્રન્ટ ફાયરિંગ વિથ મર્ડર કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં સ્મિત ચૌહાણના મિત્રની પણ હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. તેમજ વિરમગામમાં સળગાયેલી હાલતમાં જે મૃતદેહ મળ્યો હતો તે સ્મિતનો મિત્ર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છેકે મિત્રને શોધવા ગયેલા સ્મિતની પણ ગોળી મારીને કરાઈ હત્યા કરવામાં આવી હતી. જેની સાથે જ સ્મિતની હત્યાનું રહસ્ય વધ્યું છે. આ બન્ને મિત્રોની હત્યા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

રવિ લુહાર અને સ્મિત ચૌહાણની હત્યાના તાર જોડાયેલા છે કે નહીં તેમજ બંને મિત્રોની હત્યાના કારણ અકબંધ રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા વિવિધ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ હત્યામાં વપરાયાલે રિવોલ્વર અને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. તેમજ બંને હત્યા મામલે ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ રવિન્દ્ર લુહારની હત્યા રૂપિયાની લેતીદેતીમાં થઈ હોવાનું અનુમાન હાલ પોલીસ લગાવી રહી છે. રવિન્દ્રની હત્યા છરી અને ગોળી મારી હત્યા થઇ હતી, ત્યાર બાદ તેનો મૃતદેહ સળગેલી હાલતમાં બે દિવસ પહેલા મળી આવ્યો હતો. જેના મુદ્દે પણ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: