ગાંધીનગરમાં 27 મંદિરો તોડવા મનપાએ નોટિસ પાઠવી છે. જેમ જેમ નોટિસનો ખ્યાલ આવી રહ્યો છે. તેમ તેમ હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે. મંદિરોને નોટિસ મળતા વિરોધનો વંટોળ ફૂંકાયો છે. કાર્યવાહી થશે તો હિંદુ સંગઠનોની આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
ગાંધીનગરમા આવતા 17 જેટલા મંદિરો તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી છે. ગાંધીનગરમાં જે 17 મંદિરો નોટિસ મળી તેમના ટ્રસ્ટી મંડળ હોદેદારો એકઠા થઇને બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીનગર મંદિરોને નોટિસ મળી છે. તમામ ટ્રસ્ટી મંડળ તેમજ હિન્દુ સંગઠનો કાર્યકરો સાથે આજે ગાંધીનગર કલેકટરને આવેદન પાઠવવામાં આવશે. જે મંદિરોને નોટિસ મળી તેને પરત ખેંચવા અંગે રજૂઆત કરવામાં આવશે.













