કોડીનાર તાલુકાના આલીદર ગામે પાંચ વર્ષની બાળા પર સિંહણનો હુમલો, પિતાએ બૂમાબૂમ કરી સિંહણને મુક્કો મારતાં બાળકીને છોડી સિંહણ પલાયન, પિતાની બહાદુરાયથી બાળાનો બચાવ કરવામાં આવ્યો છે.


આ દ્રશ્યો છે કોડીનાર તાલુકાનાં આલીદર ગામના, જ્યાં સનવાવ રોડ પર અજયભાઈ ગોહિલ નો પરિવાર પોતાના પરિવાર સાથે વાડીએ રહે છે. ત્યારે આજે વહેલી સવારે 9 થી 10 વાગ્યા ના સમયે પિતા અજય ભાઈ અને તેમની પાંચ વર્ષની બાળા પોતાના ઘર નજીક આંબા ના બગીચામાં નીકળ્યા અને અચાનક સિંહણે પાંચ વર્ષની માસૂમ બાળા પર હુમલો કરી દીધો. જોકે અચાનક થયેલા હુમલા ના કારણે પિતા અજયભાઈ પણ હેબતાઈ ગયા અને બાદમાં પોતાની દીકરી ને છોડાવવા હિંમત કરી અને જોરશોર થી બૂમાબૂમ કરી અને સિંહણ ને મુક્કા મારી હિંમત દાખવી પોતાની પાંચ વર્ષની બાળા ને સિંહણ ના મૌ માથી છોડાવી. અને સિંહણ ત્યાંથી નાચી ભાગી. અજયભાઈ ની બૂમો અને મુક્કા ને કારણે સિંહણ નાશી છુટતા આસપાસના આસપાસના લોકો એકઠા થયા ને પાંચ વર્ષની બાળા ને પ્રથમ કોડીનાર ની સરકારી હોસ્પિટલ અને બાદમાં રાના વાળા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. જોકે પિતાની બહાદુરાઈ છતાં બાળા ને પાછળ ના ભાગે ગંભીર ઇજ્જા ઓ પહોંચતા પીડાય રહી હતી.

સવારે દસ વાગ્યા ના અરસા માં અજયભાઈ ઘર માં લીંબુ ની જરૂર હોય ઝાડ પરથી લાવવા બગીચા માં જતાં હતા. અને તેઓ ની સાત વર્ષ ની દીકરી માર્ગીબેન પણ સાથે ગઈ. બાપ દીકરી હાથ પકડી બગીચા માં જઈ રહ્યા હતા,ત્યારેજ અચાનક એક સિંહણે આ બાળકી ઉપર હુમલો કરી તેને મોઢામાં લઇ ચાલવા લાગી પણ અજયભાઇ એ બૂમાબૂમ કરી મુકતા આ સિંહણ ગભરાઈ આ બાળકી ને છોડી જતી રહી હતી. જોકે ઘટના ની જાણ થતાં જામવાળા વન વિભાગ ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી માનવ લોહી ચાખી ગયેલ સિંહણ ને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી આગળ ની કાર્યવાહી કરી છે. જયારે ગામના અગ્રણીઓ અને માસૂમ બાળા ના સગા જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહો ના અટફેરા હોવા છતાં અને તેઓ દ્વારા વન વિભાગ ને જાણ કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન કરાય અને આખરે માનવ લોહી તરસી સિંહણ નો શિકાર આ પાંચ વર્ષની માસૂમ બાળા બની જોકે એક પિતાએ પોતાની બાળકી ને બચાવતા આ બાળકી નો પુનઃજન્મ થયો છે. અને હાલ રાના વાળા હોસ્પિટલ માં સારવાર લઈ રહી છે.

  • Follow us on: