• અમદાવાથી રાજકોટ માટે સવારે 6 વાગ્યે વોલ્વો બસ ઉપડશે
  • 5 ફેબ્રુઆરીથી શરુ થશે GSRTCની વોલ્વો બસની સુવિધા
  • અમદાવાદ એરપોર્ટથી રાજકોટ માટે રૂ. 553 ભાડુ નક્કી કરાયું

રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી GSRTCની વોલ્વો બસ શરૂ થશે. રાજકોટના મુસાફરો ઓછી કિંમતે મુસાફરી કરી શકશે. 5 ફેબ્રુઆરીથી GSRTCની વોલ્વો બસની સુવિધા શરુ થશે.

અમદાવાથી રાજકોટ માટે સવારે 6 વાગ્યે વોલ્વો બસ ઉપડશે

ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ માટે રૂ. 553 ભાડુ નક્કી કરાયું છે. જેમાં અમદાવાથી રાજકોટ માટે સવારે 6 વાગ્યે વોલ્વો બસ ઉપડશે. રાજકોટથી અમદાવાદ માટે સાંજે 5 વાગ્યે બસ ઉપડશે. અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા માટે GSRTCની વોલ્વો બસ શરૂ કરાશે. રાજકોટના મુસાફરો ડેઇલી બેઝ પર ઓછી કિંમતે વોલ્વો બસમાં મુસાફરી કરી શકશે. માત્ર 553 રૂપિયાનું ભાડું ચૂકવી વોલ્વો બસમાં મુસાફરી કરી શકશે.


  • Follow us on: