દેશનું ભવિષ્ય બાળપણથી તંદુરસ્ત અને સ્માર્ટ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓ ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વર્ષોથી ખાલી હોય તેવી જગ્યાએ સરકાર દ્વારા આંગણવાડી મંજુર કરવામાં આવી છે. ત્યારે આંગણવાડી કેન્દ્રો પાસે મકાન ન હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.


આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાન ના હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. નર્મદા જિલ્લામાં 354 આંગણવાડી કેન્દ્રો પાસે પોતાનું મકાન નથી તો છોટા ઉદેપુર જિલ્લાના 379 આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાન નથી.  ભાડાના અથવા દાતાઓના મકાનમાં આંગણવાડી કેન્દ્રો ચાલતા હોવાનો સરકારનો જવાબ છે. નર્મદા જિલ્લામાં 197 કેન્દ્રો બાંધકામ હેઠળ, 137 કેન્દ્રોના ટેન્ડર પ્રક્રિયા ચાલુ, 99 કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ જ્યારે 10 કેન્દ્રો માટે જગ્યા ઉપલબ્ધ નથી. છોટા ઉદેપુર જિલ્લા 100 કેન્દ્રો બાંધકામ હેઠળ, 98 કેન્દ્રોની ટેન્ડર પ્રક્રિયા શરૂ, 379 મકાન પ્રગતિમાં હોવાનો સરકારે જવાબ આપ્યો છે. 

આંગણવાડી કેન્દ્રો પાસે મકાન ન હોવાની ચોંકાવનારી વિગતો

  • નર્મદા જિલ્લામાં 354 આંગણવાડી પાસે પોતાના મકાન નથી
  • છોટાઉદેપુરમાં 379 આંગણવાડી પાસે પોતાના મકાન નથી
  • ભાડા અથવા દાતાઓના મકાનમાં ચાલે છે આંગણવાડી કેન્દ્રો
  • નર્મદા જિલ્લામાં 197 કેન્દ્રો બાંધકામ હેઠળ : સરકાર
  • છોટાઉદેપુર જિલ્લામાં 100 કેન્દ્રો બાંધકામ હેઠળ : સરકાર

5 વર્ષથી નાની ઉંમરનાં બાળકોનાં શિક્ષણ અને પોષણ માટે કેન્દ્ર સરકારનાં સહયોગથી રાજ્યમાં આંગણવાડીકેન્દ્રો ચલાવવામાં આવે છે. દર વર્ષે બજેટમાં બાળકોનાં વિકાસ માટે મસમોટું ભંડોળ ફાળવવામાં આવે છે તેમ છતાં રાજ્યમાં આજે અનેક આંગણવાડી કેન્દ્રોમાં દુર્દશા જોવા મળી રહી છે. ક્યાંક આંગણવાડીનું સરકારી મકાન જ નથી તો ક્યાંક પાણી કે સ્વચ્છતાની કોઈ સુવિધા નથી અને આ તરફ સરકાર કુપોષણ  દૂર કર્યાનાં આંકડા ઊભા કરીને સબ સલામત હોવાનો સંતોષ માની રહી છે.

  • Follow us on: