• સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદથી વીજ પુરવઠાને અસર
  • ભારે પવન અને વરસાદથી 1122 થાંભલાઓ પડયા
  • સૌરાષ્ટ્ર, કચ્છમાં 1528 ફીડરો બંધ હાલતમાં

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ વરસતા વીજ પુરવઠા પર તેની અસર જોવા મળી છે,ગુજરાતના 613 ગામડાઓ એવા છે કે જયાં વીજ પુરવઠો બંધ હાલતમાં છે જેના કારણે સ્થાનિકો પણ રોશે ભરાયા છે.ભારે પવનના કારણે 1122 થાંભાલાઓ પડી ગયા છે,સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1528 ફીડરો બંધ હાલતમાં છે.

ખેતીવાડીના ફીડરો બંધ હાલતમાં

સૌથી વધુ ખેતીવાડીમાં 1224 ફીડરો બંધ થયા છે જેના કારણે ખેડૂતને પણ તકલીફ પડી રહી છે.રાજકોટ ગ્રામ્ય, જામનગરમાં વીજ પુરવઠાને અસર પડી છે.પોરબંદર અને જૂનાગઢમાં વીજ પુરવઠાને અસર પડી છે.સૌરાષ્ટ્ર અને કચ્છના આંતરિયાળ વિસ્તારોમાં વીજ પુરવઠાને ભારે અસર જોવા મળી રહી છે.સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદને લઈને પાવર સપ્લાયને મોટા પર પ્રમાણમાં અસર થતા ધીમે ધીમે વીજ કર્મીઓ કામ કરી રહ્યાં છે અને વીજ પુરવઠો જીવંત કરી રહ્યાં છે.

તંત્ર લાગ્યું કામે

પીજીવીસીએલની ટીમ,અને કોન્ટ્રાક્ટરોની ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક રીપેરીંગની કામગીરી કરી છે.જે સ્થળે વીજ થાંભલા પડી ગયા છે,ત્યાં આગળ તેને ઉભા કરીને કામગીરી કરવામાં આવી રહી છે.સૌથી વધુ રાજકોટ ગ્રામ્ય,જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં વીજ પુરવઠાને તેની અસર જોવા મળી રહી છે,ઘણા ગામો એવા છે કે,જયાં બે-બે દિવસથી વીજળી આવી નથી,સ્થાનિકો ઘરમાં દીવો કરીને જીવન ગુજારી રહ્યાં છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

પીજીવીજીસીએલના 1122 થાંભલા ધરાશાયી

રાજ્યમાં પડેલા અતિ ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારનો સંપર્ક તૂટી ગયો હતો. પાણી ભરાવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 600થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર પહોંચી છે. આ ઉપરાંત ભારે પવનને લીધે ચાર દિવસમાં જ PGVCLના 1122 વીજપોલ ધરાશાયી થયા છે.

 

  • Follow us on: