ગુજરાતમાં વ્યાજખોરીનું દૂષણ નિરંતર વધી રહ્યું છે. જરુરિયાતમંદ ગરીબ લોકોને વ્યાજખોરો ઉંચા વ્યાજે નાણા આપે છે. ત્યારબાદ વ્યાજખોરો નાણાં લેનારા વ્યક્તિનું જીવન દુષ્કર કરી નાખતા હોય છે. જેના લીધે ઘણીવાર ભોગ બનનાર આપઘાતનો પ્રયાસ કરતા હોય છે. પઠાણી ઉઘરાણી કરતા ઈસમો ઉંચુ વ્યાજ લીધા પછી લોકોને મરવા માટે મજબૂર કરતા હોય છે. તો ખેડાના નડિયાદમાંથી વ્યાજખોર મહિલાનો આતંક સામે આવ્યો હતો. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં મહિલા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી જોવા મળી રહી હતી.
વ્યાજખોર મહિલાની દાદાગીરી













