• ત્રીજી વનડેમાં ભારતની જીત
  • પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયા જીતી હતી
  • 2-1થી ભારતે સીરિઝ જીતી

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 વનડે સીરિઝની ત્રીજી મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમવામાં આવી છે. આ મેચમાં ભારતીય ટીમે 200 રન સાથે જીત મેળવી છે. આ મેચ જીતવા સાથે ભારતે 2-1થી વનડે સીરિઝ જીતી છે. ઉલ્લેખનીય છે, આ અગાઉ 27 જુલાઈએ બંને દેશ વચ્ચે પ્રથમ વનડે સીરિઝ રમવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમે 5 વિકેટે જીત મેળવી હતી. જે બાદ બીજી વનડે 29 જુલાઈએ રમવામાં આવી હતી. જેમાં વેસ્ટ ઈન્ડીઝ ટીમે 6 વિકેટે જીત મેળવી હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 મેચની વનડે સીરિઝની છેલ્લી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલાં બોલિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાના ઓપનર ઈશાન કિશન અને શુભમન ગિલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 19.4 ઓવરમાં 143 રન કર્યા હતા. સાથે સંજૂ સેમસને પણ મળેલી તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.

સંજૂએ કર્યા 51 રન

વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ બીજી વનડે મેચમાં સંજૂ સેમસને ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું, પરંતુ આ બેટ્સમેને આ મેચમાં ટીમ ઈન્ડિયાને ફેન્સને નિરાશ કર્યા હતા, ત્યારે હવે સંજૂ સેમસને ત્રીજી વનડે મેચનો ભરપૂર ફાયદો ઉઠાવ્યોસ છે. આ મેચમાં સંજૂએ 41 બોલ પર 51 રનની ઈનિંગ રમી છે. તેમણે પોતાની ઈનિંગમાં 2 ફોર અને 4 સિક્સ ફટકારી છે. જે બાદ સંજૂ સેમસન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ તૂટવા ન દીધો

વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સીરિઝના પ્રથમ મેચમાં સંજૂ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહતું. જે બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે રોષ વ્યક્ત કર્યો હતો. જેથી આ વિકેટકીપર બેટ્સમેનને બીજી વનડે મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ સંજૂએ પોતાના ફેન્સને નિરાશ કર્યા હતા. હવે ત્રીજી વનડે મેચમાં સંજૂ સેમસને ફિફ્ટી ફટકારી છે. આ સાથે જ સંજૂએ ટીમ મેનેજમેન્ટના નિર્ણયને યોગ્ય સાબિત કર્યો છે.

  • Follow us on: