જામનગરમાં વેપારી હનીટ્રેપનો ભોગ બન્યો હોવાની ઘટના સામે આવી છે. દવાના વેપારીને મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને 1.5 લાખ રોકડ અને દાગીના પડાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા મહિલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જામનગરના દવાના વેપારીને એક મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેર્યા હોવાની ઘટના સામે આવી છે. આ વેપારી પાસેથી હનીટ્રેપ આચરતી ટોળકીએ આયુર્વેદિક દવાના રૂ. 1.5 લાખ, રોકડ એક લાખ અને સોનાના દાગીના પડાવી લીધા છે. આ સાથે ન્યૂડ ફોટાઓ વાયરલ કરવાની વેપારીને ધમકી આપી હતી.













