જામનગર શહેરમાં હોળીના તહેવારો ઉપર લોકોના આરોગ્યને હાનિકારક ખજૂર,હારડા, પતાસા બજારમાં ન વેચાઈ તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી અધિકારીની ટીમ દ્રારા ચેકીંગ હાથ ધરેલ હતું. ચેકીંગ દરમ્યાન આ તમામ ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને વડોદરાની લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે,
વીઓ-1 હોળીના તહેવારોમાં ખજૂર, હારડા,ધાણી, સહિતની ખાદ્યયની ચીજવસ્તુઓની વિશેષ માંગ રહેતી હોય છે. ત્યારે લોકોના આરોગ્યને હાનિકારક કોઈ ખાદ્યય પદાર્થો બજારમાં વેચાઈ અટકાવવા ફૂડ શાખા મેદાનમાં આવ્યું છે. શહેરમાં ખજૂર હારડા, ખજૂર,ધાણીના દુકાનદારોને ત્યાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ સેફટી અધિકારી દશરથ પરમાર સાથે ટીમ દ્રારા ચેકીંગ હાથ ધરેલ હતું. જેમાં હારડા,ખજૂર,ધાણી, પતાસા, ઉપરાતની અખાદ્યય સામગ્રી વહેંચતા વેપારીની દુકાનોમાં ચેકીંગ હાથ ધરેલ હતું.













