વડોદરા જિલ્લાના વાઘોડિયા ઔદ્યોગિક વસાહતમાંથી શ્રમિકોના હક અને શોષણ સામેના વિરોધનો એક મોટો મામલો સામે આવ્યો છે. વાઘોડિયાની જાણીતી કંપની 'શંકર પેકેજિંગ'ના ગેટ પાસે એક કામદારે કંપની પ્રશાસનની જોહુકમી સામે પોતાના પરિવાર સાથે પ્રતીક ઉપવાસ અને ધરણા પ્રદર્શન શરૂ કરી દીધા છે. કામદાર દ્વારા કંપની પર શ્રમ કાયદાના સરેઆમ ઉલ્લંઘન અને આર્થિક-માનસિક શોષણના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
શંકર પેકેજિંગ કંપની સામે આ આંદોલન છેડવામાં આવ્યું
મળતી માહિતી મુજબ, જીઆઈડીસી સ્થિત પ્લાન્ટના પ્લોટ નંબર 1015, શંકર પેકેજિંગ કંપની સામે આ આંદોલન છેડવામાં આવ્યું છે. પીડિત કામદારે કંપની સમક્ષ શ્રમિકોના હિત અને રોજગારને લગતી ૨૦ જેટલી મુદ્દાસરની માંગણીઓ રજૂ કરી છે. કામદારનો આરોપ છે કે કંપની લાંબા સમયથી શ્રમ કાયદાના નિયમોને નેવે મૂકીને શ્રમિકોનું શોષણ કરી રહી છે, જે હવે સહન થઈ શકે તેમ નથી.













