ગુજરાતમાં રખડતા શ્વાનોનો આતંક ખૂબ જ વધી ગયો છે.રસ્તે રખડતા કૂતરાઓ રાહદારી લોકો અને વાહનચાલકોને કરડવાના કેસમાં ઘણો વધારો થયો છે, જેના લીધે લોકોમાં શ્વાનોને લઈને ભારે ડરનો માહોલ જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરે છે.ત્યારે સુરત શહેરમાં રખડતા કૂતરાનો આતંક જોવા મળ્યો છે.જેના લીધે લોકો ભયમાં મૂકાયા છે.


સોસાયટીમાં રખડતા કૂતરાઓનો ત્રાસ

પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરમાં રસ્તે રખડતા કૂતરાઓનો ત્રાસ સામે આવ્યો હતો.સુરત શહેરમાં આવેલી પાલનપુર બાલાજી સોસાયટીમાં રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો હતો. આ સોસાયટીમાં 100થી વધુ લોકોને કૂતરાઓએ કરડી લીધા હતા. જેના લીધે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરે છે. રખડતા કૂતરાઓએ નાના બાળકોને અનેકવાર શિકાર બનાવ્યા છે. સોસાયટીમાં રહેતા સ્થાનિકોને વધારે ચિંતા બાળકોની છે. જ્યાં કૂતરાઓના ત્રાસથી તેઓ બહાર રમી શકતા નથી.

સ્થાનિકોએ મનપાને કરી રજૂઆત

બાલાજી પાલનપુર સોસાયટીના સ્થાનિકોએ રખડતા કૂતરાઓ બાબતે મનપાને રજૂઆતો કરી છે. તો પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોને સોસાયટીમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. તો તંત્ર રખડતા કૂતરાઓને પકડીને સોસાયટીની બહાર કાઢે તેવી સ્થાનિકોએ ઉગ્ર માંગણી કરી છે.તો રખડતા શ્વાનને પકડવા પાછળ તંત્ર લાખો રુપિયા ખર્ચે છે.તેમ છતા કૂતરાઓ લોકોને કરડે છે.તે અંગે કાર્યવાહી કરવા સ્થાનિકોએ જણાવ્યું હતું.


  • Follow us on: