સુરતમાં અવારનવાર સગીરાઓના અપહરણ અને દુષ્કર્મની ઘટનાઓ બને છે. જેમાં આરોપીઓ સગીરાને લગ્નની લાલચે બહેલાવી ફોસલાવીને તેમનું અપહરણ કરીને તેમનું શોષણ કરે છે. તેવા ઘણા બનાવોમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બને છે.


વધુ એક ચૌંકાવનારી ઘટના સુરતમાં બની છે. સુરતમાં એક સગીરાને આરોપી લગ્નની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો. જે મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તેમજ આરોપીની અટકાત કરી લેવામાં આવી હતી.

સગીરાના અપહરણનો બનાવ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં એક સગીરાના અપહરણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. જેમાં આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી હતી. તેને ફોસલાવીને તેનું અપહરણ કરી ગયો હતો. જ્યારે સગીરા ગુમ થઈ જતા માતા પિતાએ તેને દરેક જગ્યાએ શોધી હતી. સગીરા ક્યાય ન મળતા કિશોરીના માતાપિતાએ આરોપી વિરુદ્ધ ઉધના પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આરોપીની પોલીસે કરી અટકાયત

સગીરાના અપહરણના બનાવની ફરિયાદને લઈને ઉધના પોલીસ હરકતમાં આવી હતી. ઉધના પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.સગીરાના અપહરણન આરોપી રુપેશ કલા ઠાકોરને સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો.તો પોલીસે માતાપિતાની ફરિયાદના આધારે આરોપીને ઝડપી લીધો હતો. તેમજ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • Follow us on: