નર્મદા જિલ્લામાં નર્મદાની પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ પવિત્ર યાત્રામાં 10 લાખથી વધુ પરિક્રમાવાસીઓ આવવાની શક્યતાઓ છે. જેથી રેંગણ નર્મદા કિનારા ઉપરથી રામપુરા ઘાટ ઉપર જવા માટે નર્મદા નદી ઓળંગવા માટે 50થી વધુ બોટ મૂકવામાં આવી છે. પરિક્રમાવાસીઓ રાત્રિના સમયે પરિક્રમા કરે તે માટે રસ્તા ઉપર લાઈટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત રહેશે.













