ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સુરતના મહુવા ખાતે બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, પૂર્ણા નદીના કિનારે વસેલો આ જિલ્લો કૃષિ અને સહકારીતાનું હૃદય છે. દક્ષિણ ગુજરાતે સહકારી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ આજે સમગ્ર દેશ માટે મોડેલ બની છે.


ભાજપ એટલે વિકાસનો પર્યાય

કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જગદીશવિશ્વકર્માએ જણાવ્યું કે, વિપક્ષના નેતાઓ પ્રજાના પ્રશ્નોની ચિંતા કરવાને બદલે અફવાઓ ફેલાવવાનું અને સંસદ બહાર માત્ર વિરોધ કરવાનું કામ કરે છે.કોંગ્રેસના 60 વર્ષના શાસનને કરપ્શન, કમિશન, કમ્યુનલ રાયોટ્સ અને ક્રિમિનલ પોલિટિક્સ તરીકે ઓળખાવ્યું હતું.તેની સામે ભાજપે જનતાને ન જાતિવાદ,ન પરિવારવાદ, ન તૃષ્ટીકરણ’ સાથેનું ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે.ભાજપનો કાર્યકર્તા માત્ર ચૂંટણી ટાણે જ નહીં પણ સતત પ્રજાની વચ્ચે રહીને સેવા કરે છે.આજે ગુજરાત અને દેશની જનતા માટે ભાજપ એટલે વિકાસનો પર્યાય અને ભરોસાનું નામ છે.

સુરત સદીઓથી ભારતનું વ્યાપારી બંદર રહ્યું

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, સુરત સદીઓથી ભારતનું વ્યાપારી બંદર રહ્યું છે અને અહીંના લોકોના સાહસિક વેપારની વાતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે.છેલ્લા 10 વર્ષમાં આ વિધાનસભા વિસ્તારમાં 500 કરોડથી વધુના ખર્ચે 76 જેટલા નાના-મોટા પુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 376 કરોડના ખર્ચે બારડોલીથી અનાવલ ફોરલેન રસ્તાનું નિર્માણ અને નાલોઠા ખાતે રૂ. ૫૧ કરોડના ખર્ચે આદિવાસી આદર્શ નિવાસી શાળા જેવી સુવિધાઓએ આ વિસ્તારની કાયાપલટ કરી છે. આજે કચ્છથી ડાંગ સુધી સર્વાંગી વિકાસ થયો છે. સમગ્ર દેશમાં અમૂલ અને સુમુલનું સહકારી મોડલ વખણાય છે, જેની 150થી વધુ પ્રોડક્ટ્સ આજે વિદેશોમાં પણ નિકાસ થાય છે.

આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાપુરમાં ઘરઘાટીએ માલિકના ઘરે જ કરી ચોરી, લાયસન્સવાળી પિસ્તોલ અને જીવતા કારતૂસ લઈ થયો છૂમંતર



  • Follow us on: