ગુજરાતમાં ચોમાસાની સિઝન બરાબર જામી છે. રાજ્યમાં ચારેબાજુ સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોને ખરા સમયે જ ખાતર માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ખાતર નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા છે. ઘણી જગ્યાએ ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. બીજી બાજુ વરસાદે અનેક ખેડૂતોનો તૈયાર પાક ધોઈ નાંખ્યો છે. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ સ્થિતિમાં ઇફ્કોએ રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે.
ખાતરની એક ગુણી 1470ના બદલે 1850માં મળશે













