અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના સૌ કોઇ માટે ખરાબ સપના સમાન બની ગઇ છે. જે જીવનભર સાથે રહેશે. આ દુર્ઘટનામાં 242 યાત્રીઓમાંથી માત્ર એક જ મુસાફર જીવિત બચ્યો હતો. અને બાકીના યાત્રીઓ મોતને ભેટ્યા હતા. બોય્ઝ હોસ્ટેલ પર પડેલા વિમાનના કાટમાળને હટાવીને તેની તપાસ શરુ કરવામાં આવી છે. પ્લેનના કાટમાળને વિદેશ મોકલવામાં આવશે. અને ત્યાં દુર્ઘટના માટે ક્યાં કારણો જવાબદાર છે. તે અંગે તપાસ હાથ ધરાશે.


પ્લેન ક્રેશની તપાસનો ધમધમાટ

અમદાવાદમાં ફ્લાઇટ ક્રેશ દુર્ઘટના બાદ તપાસમાં તેજી દેખાઇ રહી છે. પ્લેનના કાટમાળને હટાવવામાં આવ્યો છે. અને તેને એરપોર્ટ લઇ જવામાં આવ્યો છે. હવે આ કાટમાળની તપાસ શરુ કરવામાં આવશે. વિદેશની તપાસ એજન્સીને પ્લેનનો કાટમાળ સોંપવામાં આવશે. અતુલયમ હોસ્ટેલની છત પર એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયુ હતુ. જેમાં 20 વિદ્યાર્થીઓના મોત થયા હતા. કાટમાળ નીચેથી પણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિકોની સાથે પશુઓએ પણ પોતાની જીવ ગુમાવ્યા હતા.

અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાનો મામલો

12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનાર એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફના ગણતરીના મિનિટમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. આ પ્લેન ક્રેશમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો હતો. હાલ ડીએનએ ટેસ્ટ કરીને પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. 

  • Follow us on: