અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફરી એક વખત બેઠક યોજાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ બેઠકમાં હાજર રહ્યા હતા. સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક કરી હાલની પરિસ્થિતિને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. પ્લેન ક્રેશની ઘટનામાં મૃતદેહના DNA કલેક્શન, બોડી સોંપવા બાબતે ચર્ચા કરવામાં આવી છે. થોડા સમય પહેલા તમામ નેતાઓ અને ડોક્ટરોએ બી જે મેડિકલ ખાતે મુલાકાત કરી હતી.


ડીએનએ મારફતે તેમની ઓળખ કરવામાં આવી રહી

અમદાવાદમાં દુર્ઘટનાસ્થળેથી વધુ એક મૃતદેહ મળતા ચકચાર વ્યાપી હતી. કાટમાળ નીચે મૃતદેહો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરુ છે. તે દરમિયાન આ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં મૃતદેહોની તપાસ શરુ છે. ડીએનએ મારફતે તેમની ઓળખ કરવામાં આવી રહી છે. આ મૃતદેહ કોના છે બાદમાં તેમના સંબંધીઓને આ સોંપવામાં આવશે.

 વિમાન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થયું

અમદાવાદ વિમાન દુર્ઘટનાથી આખા વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે.અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાને થોડી જ સેકન્ડ બાદ મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 265 લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે.વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક રીતે બચાવ થયો છે તો બીજી તરફ ભગવદ ગીતાને કોઈ નુકસાન થયું નહીં.


  • Follow us on: