અમદાવાદથી લંડન જતાં એર ઇન્ડિયાના વિમાનની સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.આ ઘટનામાં 250 કરતાં વધુ લોકો મોતને ભેટ્યા હતાં. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃતકોની ઓળખ માટે તેમના પરિજનોના DNA સેમ્પલ લેવાયા હતાં.


મેસ ઉપર પ્લેન ક્રેશ થતા ઇજાગ્રસ્ત થયા હતા 50 લોકો

વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 50 લોકોની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મેસ પર પ્લેન ક્રેશ થતાં 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનામાં 16 આઉટડોર અને 31 ઇન્ડોર દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આજે રાત સુધીમાં 31 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવી શકે છે. પ્લેનમાં સવાર 219 મૃતક મુસાફરના પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે.

સિવિલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની બેઠક

બીજી તરફ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા છે. આ બેઠકમાં હાલની પરિસ્થિતિને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે. ડીએનએ કલેક્શન અને ડેડ બોડી સોંપવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી છે. બીજી તરફ ઘટના સ્થળેથી વધુ એક મૃતદેહ મળી આવતા તેને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

  • Follow us on: