અમદાવાદમાં દુર્ઘટનાસ્થળેથી વધુ એક મૃતદેહ મળતા ચકચાર વ્યાપી હતી. કાટમાળ નીચે મૃતદેહો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરુ છે. તે દરમિયાન આ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં મૃતદેહોની તપાસ શરુ છે. ડીએનએ મારફતે તેમની ઓળખ કરવામાં આવી રહી છે. આ મૃતદેહ કોના છે બાદમાં તેમના સંબંધીઓને આ સોંપવામાં આવશે.


વધી રહી છે મૃતદેહની સંખ્યા

અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતા શોકનો માહોલ છે. જે લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા છે. તેમના માટે આ દુઃખની ઘડી છે. આ એર ઇન્ડિયા પ્લેન મેડિકલ કોલેજના મેસમાં પડ્યુ હતુ. જ્યાં 20 વિદ્યાર્થીઓના મોત થયા હતા. અહીંના તબીબોએ અગાઉ પણ જણાવ્યુ હતુ કે, તેમના સાથી મિત્રો કાલની દુર્ઘટના બાદ ગાયબ છે. તેમની કોઇ ભાળ મળી નથી. અમુક તબીબ અને વિદ્યાર્થીઓ કોલેજમાં હતા. જેથી તેમના જીવ બચ્યા હત. પરંતુ મેસમાં જનતા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશ

અમદાવાદમાં 12 જૂનના રોજ મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. અને એક મુસાફરને બાદ કરતા બાકીના તમામ લોકોએ પોતાની જીવ ગુમાવ્યા છે. કાળને ભેટેલા યાત્રીઓમાં રાજ્યના પૂર્વ સીએમ વિજય રુપાણી પણ મોતને ભેટ્યા હતા. તેમના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અને તેમનો મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં જ તેમની અંતિમવિધિ કરવામાં આવશે. તેમના પરિવારને મળવા માટે વિજય રુપાણી લંડન જઇ રહ્યા હતા.  

  • Follow us on: