અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની છે. ફ્લાઈટમાં સવાર લોકોના મોત થયા છે. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પ્લેન જઈ રહ્યું હતું. ક્રેશ થયેલા આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા. જેમનું આ ઘટનામાં મોત થયું છે. તેમના મોતથી જૂનાગઢનું ચણાકા વિજય રૂપાણીનું પૈતૃક ગામ છે જેમાં શોકનો માહોલ છવાયો છે. વિજય રૂપાણીએ કરેલા કામોથી ચણાકા ગ્રામજનો પ્રભાવિત છે.


 વિજય રૂપાણીનું પૈતૃક ગામમાં શોકનો માહોલ

ભેસાણ તાલુકાનું ચણાકા ગામ વિજય રૂપાણીનું પૈતૃક ગામ છે. પૂર્વ સીએમના મોતના સમાચાર સાંભળી મિત્રો અને ગામના આગેવાનોમાં શોકનો માહોલ છે. વિજય રૂપાણીના કુળદેવી અને સુરાપુરાની ચણાકા ગામમાં જગ્યા છે. પ્લેનમાં સવાર 242 લોકો હતા. જેમાંના એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા. રૂપાણી સહિતના બધા લોકોના મોતની જાણકારી આપવામાં આવી છે. આ ઘટનામાં એકનો બચાવ કરવામાં આવ્યો હોવાની પણ જાણકારી મળી છે. પૂર્વ મુખ્યમંત્રીની વાત કરીએ તો તેઓ 2016 થી લઈને 2021 સુધીના બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતા

વિજય રૂપાણી તેમની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. તે દરમિયાન અમદાવદમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બનતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે. જૂનાગઢનું ચણાકા વિજય રૂપાણીનું પૈતૃક ગામ છે જેમાં શોકનો માહોલ છવાયો છે. વિજય રૂપાણીએ કરેલા કામોથી ચણાકાના ગ્રામજનો પ્રભાવિત છે. 

  • Follow us on: