વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં અત્યંત ગંભીર કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે રાજ્ય સરકારે ACBને તપાસ સોંપી હતી. 9 જુલાઈના રોજ બનેલી આ દુર્ઘટના બાદ સરકાર દ્વારા વિશેષ રીતે તપાસની સૂચના આપવામાં આવી હતી. ACB એ આ કેસની તપાસ માટે એક ખાસ SITની રચના કરી હતી. જેમાં ડીઆઇજી મકરંદ ચૌહાણ, એસપી પરેશ ભેસાણિયા અને 4 પીઆઈ સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમ દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
ACBની ટીમે પાંચ અધિકારીઓની મિલકતો પર પાડ્યા દરોડા













