અમદાવાદના રિવરફ્રન્ટ પર નવો લીનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં શહેરીજનો માટે ખુલ્લો મૂકાશે, શહેરના ઇતિહાસ સાથે બાળકોને જુની કરન્સીનું જ્ઞાન ગાર્ડનની મુલાકાતમાં મળશે અને નવા વર્ષમાં શહેરીજનો માટે મુકાશે ખુલ્લો ગાર્ડન અને હવે બાળકોને મનોરંજનની સાથે જ્ઞાન પણ લિનીયર ગાર્ડનમાં મળી રહેશે.
12 કરોડના ખર્ચે અમદાવાદનો ઈતિહાસ દર્શવાતું બનાવ્યું ગાર્ડન
સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ બાજુથી અને એલિસબ્રિજથી નહેરૂનગર વચ્ચે 1 કિમી લાંબો લીનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે, મહત્વની વાત તો એ છે કે, આ ગાર્ડનમાં મનોરંજની સાથે બાળકો અને શહેરીજનોને જ્ઞાન મળશે અને અમદાવાદના ઈતિહાસમાં પહેલી વખત આવો ગાર્ડન બનાવવામાં આવ્યો છે જેમાં વિવિધ કરન્સીની પ્રતિકૃતિ પણ જોવા મળશે, અમદાવાદમાં જે લોકો રિવરફ્રન્ટની મુલાકાતે આવતા હોય છે તે લોકોને પણ આ ગાર્ડન જોવાની મજા આવશે.













