અમદાવાદમાં જર્મન શેફર્ડ શ્વાને બાળક પર હુમલો કર્યો છે અને મણિનગરમાં શરણમ એલિગન્સમાં આ ઘટના બની છે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને જે બાળક પર શ્વાને હુમલો કર્યો છે તેમના પરિજનોનું કહેવું છે કે, આજ અમારા છોકરા પર હુમલો થયો છે તો કાલે સોસાયટીના બીજા છોકરા પર હુમલો શ્વાન કરી શકે છે.


અમદાવાદ મનપાનો પાલતુ શ્વાન મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે

રખડતા પશુઓ ઉપર અંકુશ બાદ હવે શહેરમાં રખડતા અને પાલતુ શ્વાન માટે નોંધણી કરાવવી ફરજિયાત બની છે. 1 જાન્યુઆરી 2025 થી 90 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવાનો નિયમ કોર્પોરેશને કર્યો છે. રખડતા શ્વાનના રજિસ્ટ્રેશન બાદ વેકસીનેશનથી લઈ શ્વાનના હરવા ફરવા સુધીના ધારાધોરણનો માલિકોએ અમલ કરવો પડશે. પશુઓની જેમ શ્વાનને પણ RFID ટેગ દ્વારા ઓળખ આપવામાં આવશે. અમદાવાદ મનપા RFID ટેગની અન્ય માહિતીમાં શ્વાનના માલિકોની વિગત એકત્ર કરશે.

તમામ પ્રકારની ચકાસણી બાદ લાઇસન્સ ઇશ્યુ કરવાની જોગવાઈ

બી.પી.એમ.સી. એક્ટ 1949માં થયેલા એમેડમેન્ટ રૂલ્સની કલમ 376 મુજબ કાયદાનો ભંગ કરનારી વ્યક્તિને રૂ.બે હજારથી માંડીને 7 હજારનો દંડ થઈ શકે છે. તે જ રીતે બી.પી.એમ.સી. એક્ટની કલમ 22 મુજબ લાઇસન્સ ઓથોરિટી મ્યુનિ. કોર્પોરેશન છે. તેના લાઇસન્સ બ્રાન્ચના ઇન્સપેક્ટર ઘરની રૂબરૂ મુલાકાત લઈને તે ઘર શ્વાન માટે યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરે છે. આ સાથે જ શ્વાનની હિસ્ટ્રી ઉપરાંત તેની સામાન્ય વર્તણૂંક પણ જોવામાં આવે છે, તેમજ ઘરના માલિક પાસે તેમની મિલકતની ટેક્સ ભર્યાની રિસિપ્ટ ઉપરાંત રેસિડેન્ટ પ્રૂફની ખરાઈ કરવામાં આવે છે. તમામ પ્રકારની ચકાસણી બાદ લાઇસન્સ ઇશ્યુ કરવાની જોગવાઈ છે. 

  • Follow us on: