રાજ્યમાં અનેક સરકારી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં નિવૃત બેન્કકર્મીઓની ભૂખ હડતાળ કરવાનો મામલો સામે આવ્યો છે. આ નિવૃત કર્મચારીઓએ પેન્શનના યોગ્ય લાભ નહી મળતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. નિવૃત બેન્કકર્મીઓ બત્રીસી ભવનમાં ધરણા પર બેઠા છે. રાષ્ટ્રીયકૃત બેંકોના પેન્શનર્સ આ હડતાળમાં જોડાયા છે. પેન્શનમાં વિશેષ ભથ્થાનો સમાવેશ કરવાની માગ કરી રહ્યા છે.
રાષ્ટ્રીયકૃત બેંકોના પેન્શનર્સ આ હડતાળમાં જોડાયા













