અમદાવાદમાં ગત 12મી જૂને લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ થયાની થોડીક જ ક્ષણોમાં ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં 270 જેટલા લોકોના મોત થયા હતાં. અમદાવાદ એરપોર્ટ પર આ દુર્ઘટના બાદ ફરી વાર એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ટેક ઓફ રદ કરી દેવાયુ હતું. જેના કારણે મુસાફરોને ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવાયા હતાં.


ટેકનીકલ ખામીના કારણે અમદાવાદમાં ટેકઓફ રદ

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઈટમાં ટેક ઓફની થોડીક ક્ષણો પહેલા જ ખામી સર્જાઈ હતી. જેના કારણે ફલાઈટમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતારી દેવાયા હતાં. ટેકનિકલ ખામીને કારણે એરપોર્ટથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઈટનું ટેક ઓફ રદ કરી દેવાયુ હતું. જેના કારણે મુસાફરો રઝળી પડ્યા હતાં. મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડતાં અનેક સવાલો ઉભા થયા હતાં.

ગત જુલાઈમાં અમદાવાદ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી

ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈમાં અમદાવાદ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. અમદાવાદથી દીવ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતાં. પાયલટે મેડે કોલ આપતાં જ ફ્લાઈટને ટેક ઓફ કરતાં અટકાવી દેવાઈ હતી. મુસાફરોને ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવાયા હતાં અને ફ્લાઈટ કેન્સલ કરાઈ હતી.


  • Follow us on: