ગુજરાતમાં રફતારના રાક્ષસોનો આતંક વધી રહ્યો છે. ગાડીઓ પુરપાટ દોડાવીને નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યાં છે. અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં સ્થિત ઝાંસીની રાણીના પૂતળા પાસે BRTS રૂટમાં અકસ્માત થતાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માતની ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. નબીરાઓએ કારની રેસ લગાવી હતી.


પુરપાટ જતી કારે એક્ટિવાને ટક્કર મારી હતી

અમદાવાદના સી.જી. રોડ પર કાર ચાલકોએ જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણી બાદ ત્રણ ગાડીઓમાં રેસ લગાવવામાં આવી હતી. આ રેસના ચક્કરમાં પુરપાટ જતી કારે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતાં. ત્રણ ગાડીઓ પુરપાટ સ્પીડે જતી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. એક્ટિવાચાલક BRTS રેલીંગમાં ઘસી આવ્યો અને કાર પણ ફુલ સ્પીડમાં હતી. રાત્રે 2 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની હતી અને ટુ વ્હીલર ચાલકોને સારવાર મળે તે પહેલા તેમના મોત થયા હતાં.

પોલીસે તપાસ શરૂ કરીને કાર ચાલકની અટકાયત કરી લીધી

ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરીને કાર ચાલકની અટકાયત કરી લીધી હતી. મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવું ગુનો છે તેમ છત્તા શહેરીજનો બેફામ રીતે વાહન ચલાવતા હોય છે અને અકસ્માતની ઘટના બનતી હોય છે.ત્રણ નાના ભાઈનું ગુજરાન ચલાવનારનું આ અકસ્માતમાં મોત થયું છે.


  • Follow us on: