કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે અને તેઓ અહીં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વિવિધ ગણેશ પંડાલોમાં દર્શન કરવા જશે. તેઓ ખાસ કરીને બે મુખ્ય સ્થળોની મુલાકાત લેશે: વેજલપુર અને વસ્ત્રાપુર. સૌ પ્રથમ અમિત શાહ વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં સ્થાપિત પ્રખ્યાત શ્યામલ કા રાજા ગણેશ પંડાલમાં દર્શન કરવા પહોંચશે. આ પંડાલ ઘણાં વર્ષોથી અહીં સ્થાપિત કરવામાં આવે છે અને તે સ્થાનિક લોકોમાં ભારે આસ્થાનું કેન્દ્ર છે. અહીં તેઓ ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ મેળવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં













