કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે અને તેઓ અહીં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વિવિધ ગણેશ પંડાલોમાં દર્શન કરવા જશે. તેઓ ખાસ કરીને બે મુખ્ય સ્થળોની મુલાકાત લેશે: વેજલપુર અને વસ્ત્રાપુર. સૌ પ્રથમ અમિત શાહ વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં સ્થાપિત પ્રખ્યાત શ્યામલ કા રાજા ગણેશ પંડાલમાં દર્શન કરવા પહોંચશે. આ પંડાલ ઘણાં વર્ષોથી અહીં સ્થાપિત કરવામાં આવે છે અને તે સ્થાનિક લોકોમાં ભારે આસ્થાનું કેન્દ્ર છે. અહીં તેઓ ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ મેળવશે.


કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં

શ્યામલ કા રાજાના દર્શન કર્યા બાદ તેઓ વસ્ત્રાપુર વિસ્તારમાં સ્થાપિત અન્ય એક ગણેશ પંડાલની મુલાકાત લેશે. આ રીતે તેઓ અમદાવાદમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણીમાં સામેલ થશે. કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે ગૃહમંત્રીની મુલાકાતથી સ્થાનિક કાર્યકર્તાઓ અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શ્યામલ કા રાજા ગણપતિજીની પૂજા અર્ચના કરશે શાહ

આ ઉપરાંત આ મુલાકાત દર્શાવે છે કે તેઓ તહેવારો અને સંસ્કૃતિ સાથે કેટલા જોડાયેલા છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ મુલાકાત અંગે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ છે અને મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે એકઠા થવાની સંભાવના છે.


  • Follow us on: