અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ ઘણા સમયથી વિવાદના કેન્દ્રમાં છે. મણીનગર ખાતે આવેલ સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની શાળા કેમ્પસમાં જ હત્યા થઈ હતી. સમગ્ર ઘટનાથી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના બાદ સેવન્થ ડે સ્કૂલને તાળા લાગ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખતા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન વિદ્યાર્થીઓ માટે લાંબા સમય સુધી આ રીતે અભ્યાસ શક્ય ના હોવાથી વાલીઓ દ્વારા શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં માગ કરવામાં આવી છે.
શાળામાં સુવિધાનો અભાવ મુદ્દે વાલીઓમાં રોષ
મણીનગરમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેના બાદ ઉગ્ર બનેલ ટોળાએ શાળાની બારીઓ અને દરવાજાને નુકસાન પહોંચાડયું હતું. ખાસ્સો સમય વીત્યા બાદ શાળા સંચાલકો તરફથી રિપેરિંગ મામલે કોઈ કામગીરી હાથ ધરાઈ નહી. તેમજ મેનજમેન્ટ દ્વારા પણ શાળામાં નુકસાન થયેલ વસ્તુનું સમારકામ ના કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. શાળા સંચાલકોની બેદરકારીનો ભોગ વાલીઓ બની રહ્યા છે. એક મહિનો વિતવા છતાં શાળામાં સુવિધાનો અભાવને લઈને વાલીઓ DEOને ફરીયાદ કરી.













