અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સફાઈ અને સ્વચ્છતાના સુધારા માટે એક વિશેષ 'સ્વચ્છતા અભિયાન વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ વર્કશોપમાં શહેરને સ્વચ્છ રાખવાના પાઠ ભણાવવાના હતા, પરંતુ તેમાં ખુદ જનપ્રતિનિધિઓની ભારે ઉદાસીનતા અને નફ્ફટાઈ સામે આવી છે.
172 કોર્પોરેટરો ગાયબ
મળતી માહિતી મુજબ, અમદાવાદના કુલ 192 કોર્પોરેટરોમાંથી 172 કોર્પોરેટરો આ મહત્વપૂર્ણ વર્કશોપમાં હાજર જ ન રહ્યા. આટલી મોટી સંખ્યામાં નેતાઓની ગેરહાજરીથી તંત્ર દોડતું થઈ ગયું હતું.













