અમદાવાદ મનપામાં આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જેમાં શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી, નવી ફૂટપાથ,નવા બ્રિજ સહિતના વિકાસ કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. શહેરમાં ચોમાસા પહેલા ભૂવા અને રોડ બેસી જવાની ઘટનાઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે વધુ વિગતો જણાવી હતી.
હાલમાં ગોતામાં બે સ્થળે કામગીરી ચાલુ છે
અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે કહ્યું હતું કે, શહેરમાં ચોમાસા પહેલા પડેલા ભુવા અને રોડ બેસી જવાની ઘટનાઓમાં 16માંથી 14 જગ્યાઓ પર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં ગોતામાં બે સ્થળે કામગીરી ચાલુ છે. આ ઉપરાંત સેટલમેન્ટની 42 જગ્યાઓ પર કામ ચાલુ છે. તંત્રને બેરિકેટિંગ કરીને કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી કામગીરી કરાશે.













