અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને રાહદારીઓ માટે સુરક્ષિત બનાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા એવા સી. જી. રોડ પર અમદાવાદનું સર્વપ્રથમ પેલિકન સિગ્નલ પ્રાયોગિક ધોરણે એટલે કે ટ્રાયલ બેઝ પર લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલની ખાસિયત એ છે કે તે સામાન્ય સિગ્નલની જેમ આપમેળે ચાલુ-બંધ થવાને બદલે રાહદારીઓ દ્વારા ઓપરેટ થશે. 


અમદાવાદમા પહેલું પેલિકન સિગ્નલ લગાવાયું 

અમદાવાદ શહેરમાં સી. જી. રોડ ક્રોસ કરવા ઈચ્છતા નાગરિકો માટે સિગ્નલના પોલ પર એક ખાસ પુશ બટન મૂકવામાં આવ્યું છે. જ્યારે કોઈ રાહદારી રોડ ક્રોસ કરવા માટે આ બટન દબાવશે, ત્યારે વાહનો માટે તાત્કાલિક રેડ લાઈટ થઈ જશે અને વાહનો થંભી જશે.રાહદારી સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી શકે તે માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. એ સમય પૂરો થતાં જ સિગ્નલ આપોઆપ ખૂલી જશે અને વાહનોની અવરજવર ફરી શરૂ થઈ જશે.

રોડ ક્રોસ કર્યા બાદ ચોક્કસ સમયમાં સિગ્નલ ખૂલશે

વ્યસ્ત માર્ગો પર સિનિયર સિટિઝન્સ, મહિલાઓ અને બાળકોને રસ્તો ઓળંગવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને અકસ્માતનો ભય ઘટશે. હાલમાં આ પ્રોજેક્ટ માત્ર સી. જી. રોડ પર ટ્રાયલ તરીકે શરૂ કરાયો છે. જો આ પ્રયોગ સફળ રહેશે અને વાહનચાલકો તેમજ રાહદારીઓ તરફથી સારો પ્રતિસાદ મળશે, તો અમદાવાદના અન્ય વ્યસ્ત ચાર રસ્તાઓ અને ટ્રાફિક જંકશનો પર પણ આવા પેલિકન સિગ્નલ લગાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Farmer Protest Explainer : કેમ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા, જાણો શું છે આખા આંદોલનનો મુખ્ય મુદ્દો




  • Follow us on: