અમદાવાદની મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીનીની હત્યાના ગંભીર બનાવ બાદ શાળાના સંચાલકોએ આચાર્યને બદલવાનો નિર્ણય કર્યો છે. આ ઘટના બાદ શાળાની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા હતા અને શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળા સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ મામલે ચાલી રહેલી તપાસ અને લોકોના રોષને ધ્યાનમાં રાખીને સંચાલકોએ આ પગલું ભર્યું છે.
નવા પ્રિન્સિપાલ તરીકે રોબિન્સનની નિમણૂક













