ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાવા અને તેના લીધે વીજ પોલમાંથી કરંટ ઉતરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ગત ચોમાસામાં અમદાવાદ શહેરમાં વીજ કરંટ લાગવાના કારણે 4 માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર દ્વારા આ વર્ષે ચોમાસામાં નાગરિકોની સુરક્ષા માટે એક ખૂબ જ મોટો અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે.
5000થી વધુ વીજ પોલ પર લગાવાઈ MCB સ્વીચ
અમદાવાદ શહેરમાં જે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાય છે, તેવા તમામ વોટર લોગિંગ સ્પોટની ઓળખ કરીને ત્યાં આવેલા 5000થી વધુ વીજ પોલ પર ખાસ પ્રકારી Miniature Circuit Breaker સ્વીચો લગાવી દેવામાં આવી છે. તંત્રનો હેતુ વરસાદી પાણીમાં કરંટ ફેલાતો અટકાવી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.













