વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 અને 5 જુલાઈના રોજ બે દિવસ ગુજરાત પ્રવાસે આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.વડાપ્રધાનના પ્રવાસનો મુખ્ય કાર્યક્રમ સાણંદમાં નિર્ધારિત છે જ્યાં તેઓ અત્યાધુનિક સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.આ પ્લાન્ટ રાજ્યમાં ટેકનોલોજીકલ વિકાસને વેગ આપશે અને સ્થાનિક રોજગારીની તકોમાં વધારો કરશે.
કચ્છમાં જાહેરસભાને સંબોધિત કરે તેવી શક્યતા
5 જુલાઈએ વડાપ્રધાન મોદી કચ્છની મુલાકાત લઈ શકે છે. જ્યાં તેઓ એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરે તેવી પ્રબળ શક્યતા છે.આ દરમિયાન તેઓ સ્થાનિક લોકો સાથે સંવાદ સાધશે અને સરહદી જિલ્લાના વિકાસ માટે મહત્વની જાહેરાતો કરી શકે છે.પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ગુજરાતને અનેક નવી વિકાસ યોજનાઓની ભેટ આપશે.તેમાં વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સ, કનેક્ટિવિટી વધારતા કાર્યો અને લોકકલ્યાણની યોજનાઓનો સમાવેશ થવાની સંભાવના છે.













