અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ ભગવાનના રથનું પૂજન કરાયું હતું અને ભગવાનની ચંદનયાત્રા પણ યોજાઈ હતી. ત્યાર બાદ ભગવાનના મામેરા માટે યજમાન પણ નક્કી થઈ ગયાં છે. હવે રથયાત્રા માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. રથયાત્રામાં રૂટના વિકાસ કાર્યનું 95 ટકા કામ પૂર્ણ થયું હોવાની વિગતો સામે આવી છે. રથયાત્રા પહેલા જ ભગવાન જગન્નાથના દર્શન માટે મંદિરમાં ભક્તોની ભીડ જામી છે.
રૂટના વિકાસ કાર્યોનું 95 ટકા કામ પૂર્ણ
અમદાવાદમાં 149મી રથયાત્રા માટે તંત્ર દ્વારા 95 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રૂટના વિકાસ કાર્યોનું 95 ટકા કામ પૂર્ણ થયું છે. મંદિરની આસપાસ વિશાળ પ્લાઝા અને લાઈટિંગ લગાવવામાં આવશે. 19.59 કરોડના ખર્ચે રૂટના માર્ગનું નવિનીકરણ કરવામાં આવશે. જમાલપુરથી ખમાસા સુધીના રૂટને નવો ઓપ આપવામાં આવશે. લાખો શ્રદ્ધાળુઓ માટે સુવિધાસભર માર્ગ તૈયાર કરવામાં આવશે. ભગવાનના દર્શન માટે જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.













